Categories
Book Gujarati books

મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)

મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા : અવતરણો
પ્રાણપ્રતિષ્ઠિત મૌનમંદિર

ભગવાનનો સહારો એ જીવનમાં સમર્થ આશરો છે. ભગવાનનો આશરો એ બહુ સમર્થનો આશરો છે. એ ચંચળ નથી. કોઈ ભાગ્યશાળીને જ એ મળે. જેમ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા સિવાય પૂજા થઈ શકતી નથી તેમ આ જે પાંચ મૌનરૂમો છે તેની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. અહીં કોઈ પણ બેસીને, જેની જે જાતની અભિરુચિ હોય તે જાતનું એ ભગવાનનું સ્મરણ લઈ શકે છે. વળી, પોતાના જીવતાજાગતા કોઈ નરનો ફોટો રાખવો હોય તો તે પણ રાખી શકે છે. કોઈ જાતની રૂઢિચુસ્તતા નથી. અહીં જે પ્રાણપ્રતિષ્ઠા છે, તેથી સોળસત્તર કલાક સુધી નામ લઈ શકાય છે. મારા ગુરુ મહારાજે મને કહ્યું કે, ‘તું આ બધું રહેવા દે. આવા એકાંત ઓરડા બનાવ. તારે કોઈ ઉપદેશ કરવો નહિ.’ હું અહીં કશું ઉપદેશ કે કાંઈ કરતો નથી. અહીં કોઈ સમૂહગત પ્રાર્થના કે પ્રવચન નથી. ફક્ત મૌનમાંથી નીકળે ત્યારે પ્રાર્થના થાય છે. આ જે બનાવ્યું છે, તે મેં ગુરુમહારાજના હુકમથી બનાવ્યું છે. તેની અંદર બેસનાર બધાંનું પોતાની અંદર જે ભરેલું પડ્યું છે, તે બધું ઊભરાય છે. જે બધું ઊભરાય છે એ બધાંનું એ પૃથ્થકરણ કરી શકે છે. પોતાનામાં શું શું ભરેલું છે એ જાણવાની કદી કોઈને બહાર તક મળતી નથી, અંદર એ તક મળે છે.

મનની શાંતિ માટે

જો રોગ થાય તો દવા લઈએ છીએ, તે રીતે જો માનસિક શાંતિ જોઈતી હોય તો ઓરડામાં – એકાંતમાં બેસીને ભગવાનનું નામ લો. ભલે શ્રદ્ધા ન હોય તો પણ નામ લો. એનાથી શાંતિ મળે છે કે નહિ તે પ્રયોગ કરી જુઓ. રોજ બેસીને આત્મનિવેદન કરો, एને તમારો સાથી રાખો, મિત્ર હોય અને એ તમારી સન્મુખ હોય એવી રીતે વર્તો. એ ભાવનાત્મક રીતે હાજર હોય છે. ભક્તિના નવ પ્રકારમાં આત્મનિવેદન એક પ્રકાર છે. જો રોજ આત્મનિવેદન કરશો તો મન હળવું થશે અને માનસિક બોજો ઓછો થઈ જશે. એટલે સકળ કામ કરતાં જો ભગવાનનું નામ લેશો તો એક એવા પ્રકારની તમારા મનમાં સાંકળ જોડાશે, તમારો एની સાથે એક અનોખો સંબંધ થશે કે જે તમારામાં હિંમત, બળ, સાહસ, સહનશીલતા, સદ્દભાવ વગેરે પ્રગટાવશે અને અનેક કોયડાના ઉકેલમાં મદદરૂપ થશે. આપણા મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંમાં પણ ए છે. માટે, एનું આહવાન કરો. एની
મદદ લેવાની તૈયારી રાખો. एને વિશે બેદરકાર રહો તો કામ ના લાગે. એટલે एની મદદ લેવાની માનવીની ઈચ્છા જાગે તો જ एની મદદ મળે.

નિવેદન

પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધનાપદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પરત્વે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત  ભાઈ શ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈ શ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી એ નોંધો અધિકૃત ગણાય. આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી . જેથી , એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .

એ પ્રવચન નોંધોમાંથી પ્રથમ પુસ્તક મૌનએકાંતની કેડીએ ’ , દ્વિતીય પુસ્તક મૌનમંદિરનું હરિદ્વાર ’ , તૃતીય પુસ્તક મૌનમંદિરનો મર્મ ’ , ચોથું પુસ્તક મૌનમંદિરમાં પ્રભુ ’ પ્રગટ થઈ ચૂક્યાં છે . આ છેલ્લું અને પાંચમું પુસ્તક મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ’ પ્રકાશિત થઈ રહ્યું છે . આ પુસ્તકો સાથે પૂજ્ય શ્રીમોટાના આ પ્રકારનાં પ્રવચનોની પ્રકાશનશ્રેણી પૂરી થાય છે . શ્રી રમેશભાઈ ભટ્ટે ઉપરનાં બધાં પુસ્તકોનું માનાર્હ સંપાદન કરી આપ્યું છે . એમના ભાવનાભર્યાં આ કાર્યની અમે કદર કરીએ છીએ . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિ કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે.

નડિયાદ,                                                                                                                                              ટ્રસ્ટીમંડળ

તા . ૧૬-૯-૧૯૮૫                                                                                                                      હરિ:ૐ આશ્રમ , નડિયાદ

 

मौनमंदिर में प्राणप्रतिष्ठा : अंश
प्राणप्रतिष्ठित मौनमंदिर

भगवान का सहारा जीवन में समर्थ का आशरा है । भगवान का शरण बहुत ही समर्थ का शरण है । वह चंचल नहीं है । कोई भाग्यवान को ही मिलता है । जिस तरह मूर्ति की प्राणप्रतिष्ठा किए बिना मूर्ति की पूजा नहीं हो सकती उसी तरह यह जो पाँच मौनरूम है उनमें भगवान की प्राणप्रतिष्ठा की गई है । यहाँ बैठकर कोई भी व्यक्ति, जिसकी जो प्रकार की, जिस में दिलचस्पी हो वह रीत से भगवान का स्मरण कर सकता है । अगर कोई अपने सद्गुरु का फ़ोटो रखना चाहता है तो वह भी रख सकता है । यहाँ कोई भी प्रकार का रूढ़िवाद (संकीर्णता) नहीं है । यहाँ जो प्राणप्रतिष्ठा की गई है, उस के बदौलत सोलाह, सतरा घंटे तक भगवान का नाम लिया जा सकता है । मेरे गुरु महाराज ने मुझसे कहा – “तू यह सब रहने दें । (आदमी) अकेले में रह सके ऐसे कमरें बना । तूज़्हे कोई भी उपदेश-सीख देना नहीं है ।” मैं यहां कोई उपदेश या कुछ करता नहीं हूं । यहाँ कोई सामूहिक प्रार्थना या प्रवचन नहीं है । जब कोई मौनरूम से बाहर आता है उस समय यहाँ प्रार्थना होती है । यह जो बनाया है, वह गुरुमहाराज की आज्ञा से बनाया है । जो भी अंदर बैठता है, उसके
भीतर जो भी भरा पड़ा है, वह सब उभर आता है । जो जो उभर आता है, उन सबका वह (अंदर वैठनेवाला) विश्लेषण कर सकता है । खुद के अंदर क्या क्या भरा पड़ा है वह जानने का मौका बाहर रहतें हुए कभी किसीको नहीं मिलता । वह सब जानने का मौका अंदर ही मिलता है ।

मन की शांति के लिए

जब दर्द होता है तो दवाई लेते है, ठीक उसी तरह से अगर मन की शांति चाहिए तो कमरे में – एकांत में बैठकर भगवान का नाम जप करें । अगर श्रद्धा न हो फिर भी नाम जप करें । ईस से शांति मिलती है या नहीं, ईसका प्रयोग करकें देखें । रोज़ बैठके आत्मनिवेदन (भगवान से बात) करें । भगवान को अपना मित्र बनाएं, जैसे मित्र आपके सामने बैठा हो ईस तरह उस से (भगवान से) वर्तन करें । वह भावनात्मक रूप से प्रत्यक्ष है । भक्ति के नौ प्रकार है उस में आत्मनिवेदन भी एक प्रकार है । हररोज आत्मनिवेदन करने से मन हल्का होगा और मन का बोज़ कम हो जाएगा । ईसी लिए तमाम काम करतें वक्त, अगर आप भगवान का नाम जप करेंगे तो आपके मन में भगवान के साथ (मन ही मन से) एक शृंखला जुड़ जाएगी । भगवान के साथ आपका एक अलग सा रिश्ता बंधेगा जिससे आप में हिंमत, ताकत, साहस, सहनशक्ति, सद्दभाव इत्यादि प्रकट होंगे और अनेक पहेलियों को
सुलझाने में सहायरूप होगा । हमारें मन, बुद्धि, चित्त, प्राण और अहं (में) भी वह ही (भगवान ही) है । ईसी लिए उस को पुकार करें । उस की सहाय लेने की खेवना रखें । उस के प्रति लापरवाही रखोगे तो वह आपके काम नहीं आएगा । मतलब उस की सहाय लेने की मानवी की तमन्ना होगी तो ही उस की सहाय मिलेगी ।

Consecration of Temple of Silence : Excerpts
Consecrated Temple of Silence

God’s support is the strongest refuge in the life. God’s refuge is the highest shelter of the accomplished. HE is not transient. A rare luckiest will be blessed. The way an idol cannot be worshiped without consecration, the same way here this five silence rooms are consecrated. (That is how they are known as temple of silence) Here anyone can seat and pray to God, chant HIS name, as per individual’s desire, liking, belief and faith. Even one can keep the photo of a Realized Soul, in whom one has faith. This place absolutely, has no orthodoxy. As result of consecration of this place, one can continue his/her prayers nonstop for sixteen seventeen hours (in a day).

My Supreme Master (Guru Maharaj) told me, ‘You keep aside everything. Make silence rooms. You shall not preach anything.’ I don’t preach here OR does anything of such kind. Here there are none congregational prayers or lectures. Only prayers are performed at the time of a seekers coming out of the silence rooms. This place is made by the order of my Supreme Master (Guru Maharaj). A seeker inside can view inner shortcomings. That all will emerge inside and one can make analysis of them. The negativity of the mind is never understood in the outside world. There is no opportunity, no time for it. Inside the temple of silence, the opportunity prevails.

For Peace of Mind

We take medicine to cure the diseases, the same way if you wish to have peace of mind then seat alone in the room (in solitaire) and chant the name of God. If you don’t have faith, then also chant HIS name. Just make an experiment whether you experience peace of mind or not. Seat daily and practice self-confession, talk to God, as if HE is your friend. Behave accordingly as your friend (HE) is sitting in front of you. HE is Omnipresent in form of Bhava (intuitive feelings – intuition). Devotion has nine (9) different methods. self-confession, talking to God is one among them.

Daily if you will make self-confession, talk to God then your mind will become light. Your mental stress will reduced a lot. While performing every work, if you will chant God’s name then your mind will link a specific type of chain with HIM, a special type of connect will develop between
you and HIM. This will ignite valor, strength, adventure, tolerance, goodwill and harmony in your being. It will help you resolve many more queries. HE is Omnipresent. HE is also present in our mind, intellect, chitta (storage of our impressions, sacraments), prana (Life’s force) and Ego. Hence call him. Seek HIS help and remain open for acceptance. If you will remain careless about HIM then HE will not be useful. Hence if human
has (strong) desire to take HIS help then only HE will be useful.

Categories
Book Gujarati books

જીવનરસાયણ (Jivan Rasayan)

સંપાદકના બે બોલ

 છેલ્લાં બે એક વર્ષથી પૂજ્ય શ્રીમોટા તેમની અનુભવદશાનાં ભજનો વિવિધ પ્રકારે લખતા રહ્યા છે. અને તેનું પુસ્તક પ્રસિદ્ધિનું કાર્ય તેમનાં સ્વજનો ઉપાડી લે છે. અમે પણ પૂજ્ય શ્રીમોટાને તેમનાં ભજનોના એક પુસ્તકની પ્રસિદ્ધિનું કામ સોંપવા માગણી કરી અને તેની ફળશ્રુતિ તે આ જીવનરસાયણ.

પૂજ્ય શ્રીમોટાનાં આ ‘જીવનરસાયણમાં છપાયેલાં ભજનોનું આચમન સૌ કોઈ કરી શકે છે.-જેમ સરિતાના જળનું આચમન સૌ કોઈ કરી શકે છે. એને કોઈ ભેદ હોતો નથી. પંખી, પશુ, પ્રાણી, જીવજંતુ, માણસ સૌ કોઈ તેનાં પાણી પીવે છે. સરિતા તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણે છે.

તે પ્રમાણે આપણા સંતભક્તોને પણ કશાના ભેદ હોતા નથી. તેમની પાસે પુણ્યશાળી કે પાપી, સારા કે ખરાબ, ઊંચ કે નીચ, ધનવાન કે ગરીબ, અભણ કે વિદ્વાન, શહેરી કે ગામડિયો, સ્ત્રીઓ, પુરુષો કે બાળકો સૌ કોઈ જઈ શકે છે, અને તેઓ જગતના શીતળ છાંયડે તેમને વિસામો આપે છે. સરિતાની જેમ તેઓ તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણતા હોય છે.

જીવનમાં આનંદ તો સૌને જોઈએ છે, પરંતુ એ આનંદ મેળવવા માટે આપણે કેટલો પુરુષાર્થ કરીએ છીએ ? આનંદ મેળવવો હોય કે કંઈ કશાની પ્રાપ્તિ કરવી હોય, તો કેટલો અને કેવો પુરુષાર્થ કરવો પડે છે, તેનું દર્શન આ પુસ્તકોનાં ભજનો વાંચતાં વાચકને થશે.

ગુણોનાં નામ આપણે જાણીએ છીએ ખરાં, પરંતુ તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ ? જીવનમાં  गुणप्राप्ति અને એ દ્વારા साधनाविकासને પંથે પળવા ઇચ્છતાં ભાઈબહેનો માટે આ પુસ્તક એક ભોમિયાની ગરજ સારશે. વાચકો વાંચે અને તેનો અનુભવ કરે એ જ વિનંતી.

પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકમાંથી જીવનવિકાસના મુમુક્ષુઓને સામગ્રી મળે છે. શું કરીએ તો જીવન પલ્લવિત થાય અને નવજીવનને પામે, તેનો સાર જેઓ શોધશે, તેને આ પુસ્તકમાંથી જરૂર મળી રહેશે.

આધ્યાત્મિક માર્ગનું શિખર સર કરવા માટે કેટકેટલાં પગથિયાં ચડવાં પડે છે ! અને ક્યાં ક્યાં સીધાં, આકરાં અને દુર્ગમ ચઢાણ આવે છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં સહેજે સમજાશે, અને માર્ગ કેવો ગહન છે, તેનો પણ સૌને ખ્યાલ આવશે.

દરેક વિષયને તેની ક્રિયા પ્રક્રિયાઓમાંથી પાર પડાય તો જ તેના વિજયને પમાય છે. તેવું જ  આધ્યાત્મિક માર્ગને વિશે પણ છે.

પૂજ્ય શ્રીમોટાએ તેમની જીવનસાધનામાં કેટકેટલાં કષ્ટો સહન કર્યાં છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં વાચકોને જાણવા મળશે. અને જેઓ આધ્યાત્મિક માર્ગમાં આગેકૂચ કરવા ઇચ્છતા હશે તેમને તેમાંથી સ્પષ્ટ માર્ગદર્શન મળી રહેશે.

આ રીતે આવું ઉત્તમ પુસ્તક પ્રસિદ્ધ કરવાની પૂજ્ય શ્રીમોટાએ અમને અનુમતિ આપી, તે માટે અમે તેમના ઘણા ઘણા આભારી છીએ. પૂજ્ય શ્રીમોટા, તેમના દરેક પુસ્તકના વેચાણની રકમ સમાજ- પરમાર્થનાં કાર્યોમાં જ વાપરતા હોય છે. તે રીતે જેઓ આ પુસ્તક ખરીદીને વાંચશે તેમને જીવન ઉપયોગી સાચું વાંચન વાંચવા મળશે જ, તેની સાથે સમાજ-પરમાર્થના કાર્યોમાં મદદ કરવાનું શ્રેય મળશે તે તો વધારામાં. ગુજરાતની પ્રભુપ્રેમી જનતા આ પુસ્તકને સત્કારશે એવી આશા છે

 – જીવણલાલ ચતુરદાસ ચૌહાણ

 

Categories
Book Gujarati books

જીવનરંગત (Jivan Rangat)

સ્મરણના ફાયદા હૃદયે

થતાં, થતાં સ્મરણ हरि નું સ્મરણ તો દિલ ઊપજ્યું છે.

સ્મરણ જ્યાં દિલ ઊપજવાથી, સ્મરણ લાગું પડેલું છે.

 

हरि   સાંકળવા  જીવનમાં સ્મરણનો હેતુ  ધાર્યો   છે,

હૃદય    તે હેતુ   દૃઢવાતાં, હૃદય  તે   લક્ષ  ચોંટ્યું   છે.

 

હૃદય    તે લક્ષને લીધે   સ્મરણ  જીવતું  થયેલું    છે,

સ્મરણમાં  प्राण  ઊગીને  સ્મરણ  ફાલ્યું,  ફૂલેલું  છે.

 

સ્મરણના    ફાયદા હૃદયે મને અગણિત લાગ્યા છે,

જીવનનું   રોકડું   નાણું  કમાવાયું   સ્મરણથી   છે.

‘જીવન રંગત’,આ-ચોથી, પૃ-૧૪૪

Categories
Book Gujarati books

જીવનપ્રેરણા (Jivan Prerna)

નમ્યો તે પ્રભુને ગમ્યોએવી એક કહેવત છે. મારા જેવા છેક અજાણ્યાને, કોઈ એક અજાણે ઠેકાણે પડેલાને તથા જેને કોઈ જાણતું નથી એવા ગરબીને, તમે બધાં સ્વજનો પ્રેમભાવે ન્યોછાવર કરી દો છો, એ મારે મન તો પ્રત્યક્ષ પ્રભુકૃપા જ છે. બાકી જો હું વિચારું તો મારી કને છે શું ? જગતમાં આજે લોક જેની કને કંઈક હોય છે–કંઈક પ્રતિષ્ઠા હોય, કંઈક નામના, કંઈક પ્રતિભા, કંઈક લક્ષ્મી, કંઈક સત્તા, કંઈક વૈભવ, કંઈક આંજી દે એવી તેજસ્વિતા અને એવી કંઈક સ્નિગ્ધ વાક્‌કુશળતા, સાક્ષરપણું એવાને જગત જાણે અને ઓળખે પણ ખરું. આમાંનું મારી પાસે કશુંય નથી. મારો વેપાર તો સ્વજનોની પ્રેમભાવના અને જીવનની કદરભાવના ઉપર જ નભી શકે. એના વિના હું તો સાવ દેવાળિયો છું. સાવ નરાતાર ભિખારી. પ્રભુનાં આપેલાં મારાં સ્વજનોએ પ્રેમની ખોટ પડવા દીધી નથી, તેમ છતાં હૃદયમાં તેમના પરત્વે અસંતોષની જ્વાળા આજે જે ધગધગે છે અને તેમાંથી જે વેદના પ્રગટે છે, તેનાથી હું બળ્યોઝળ્યો રહ્યા કરું છું.

‘જીવનપ્રેરણા’,ચોથી આ, પૃ-૧૩૬-૩૭

Categories
Book Gujarati books

જીવનપોકાર (Jivan Pokar)

પછીથી વ્યર્થ પસ્તાશો

એક કાળ એવો પણ આવશે કે જે વેળા આવાં બધાં સ્વજનો પસ્તાશે કે, ‘મળેલા પુરુષને આપણે અવગણ્યો. એનો યોગ્ય સાથ ન રાખી શક્યાં. આપણે જે અર્થે એને સ્વીકારવાનું કરેલું, તે અર્થે યોગ્ય ઉપયોગ કરવાનું આપણને સૂઝ્યું જ નહિ ! હાય ! હાય ! કેવાં હતભાગી ! એને પૂરું આપણે સમજી પણ શક્યાં નહિ ! એ હતો તો પાસે ને પાસે પણ એને સાચો ને પૂરો જોયો પણ નહિ, તો અનુભવી તો ક્યાંથી જ શકાય ?’ આવું કંઈક કંઈક સ્વજનોને જરૂર થવાનું છે, તે નક્કી માનજો. તે વેળા જે પસ્તાવો થશે તેનાથી કશું જ વળવાનું નથી. જે કોઈ जीवताને માનતાં નથી કે માની શકેલાં નથી, તે તેના ગયા પછી તેને શું માની શકવાનાં છે ? રામ રામ કરો. માટે જેને માનવાનું આપણે કરેલું હોય, તેને તેની જીવતી હયાતી સુધીમાં યોગ્યપણે સમજી લેવાય, ને તે પણ તેના પૂરેપૂરા યથાર્થપણામાં સાચી રીતે સમજાય, પાછું જ સમજીને તેનો જીવનવિકાસના સાધન તરીકે જ્ઞાનભક્તિપૂર્વક જેટલો ઉપયોગ કરી લેવાય તેટલું ઉત્તમ છે.

 ‘જીવનપોકાર’, છઠ્ઠી આ, પૃ-૧૩૫

Categories
Book Gujarati books

જીવનપાથેય (Jivan Pathey)

પ્રસ્તાવના   

સંતપુરુષો પોતાનાં સ્વજનોની પરીક્ષા અનોખી રીતે કરે છે. ગુજરાતના વિખ્યાત સંત શ્રીમોટાનો કેટલાંક વર્ષથી મારા ઉપર અકારણ સ્નેહ રહ્યા જ કર્યો છે. અહેતુક અનુરાગ રાખવો એ એના શીલ-ચારિત્ર્યની પવિત્રતા છે. એકાએક તેઓશ્રીને કોણ જાણે શાથી મનમાં શી સ્ફુરણા થઈ, અને મને એમનું પુસ્તક જીવનપાથેય’ મોકલ્યું. સાથે એક પત્ર પણ લખીને એ પુસ્તકની પ્રસ્તાવના લખવા પ્રેમપૂર્વક આદેશ આપ્યો. પ્રેમસભર આ આદેશનું ઉલ્લંઘન કરવાની મારી શક્તિ નથી. આથી જ ખૂબ મથામણને અંતે આ લખી રહી છું.

જીવનપાથેય’ પુસ્તકમાં શ્રીમોટાએ લખેલા ગદ્ય તથા પદ્ય પત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લગભગ વીસથી પચીસ વર્ષ પહેલાં આ પત્રો સાધકોને લખાયેલા છે. આ પચીસ વર્ષોમાં હંમેશાં પ્રગતિશીલ શ્રીમોટાનું આંતર્‌બાહ્ય પરિવર્તન પણ થયું હશે. અનુભૂતિની વિશદતા અને એની અભિવ્યક્તિની સહજ સુંદરતા પણ વિકસિત થઈ હશે. આમ છતાં આ પત્રોમાં શ્રીમોટાની સહૃદય રસિકતા પૂર્ણપણે છલકાય છે. માતા, બાળકની આંગળી પકડીને ચાલતા શિખવાડે છે. એ જ રીતે શ્રીમોટા સ્નેહપૂર્વક સાધકને માર્ગદર્શન કરે છે, એમ આ પત્રો જોતાં જણાય છે. શ્રીમોટાનો સ્નેહભર્યો સંપર્ક પામનાર આ સાધકો ભારે ભાગ્યશાળી ગણાય. ગુજરાતના આત્માર્થીઓને આ સત્સંગ દીર્ઘકાળ પર્યંત મળ્યા કરે એવી ઈશ્વરને પ્રાર્થના.

તા. ૧૯-૭-૧૯૬૯                                                                                                                                                           વિમલાતાઈ ઠકાર 

અર્બુદાચલ

Categories
Book Gujarati books

જીવનપરાગ (Jivan Parag)

પૂજ્ય શ્રીમોટાનું કથન 

મદ્રાસના મારા એક સ્વજને એક વાર મને સૂચવ્યું કે ‘તમારાં બધાં છપાયેલાં પુસ્તકોમાંથી જે જે સૂત્રાત્મક વચનો હોય, તેને તથા તે પુસ્તકોમાંથી જુદા જુદા વિષયના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવીને, ટૂંકાવીને, તે બધાંનું જો એક જુદું પુસ્તક છપાવાય, તો શ્રેયાર્થીને તથા વાચકને તે તે બધું જાણવું વધુ સુલભ થઈ પડે. આ હકીકતને તો ઘણાં વર્ષો થઈ ગયાં. તે પછી ભાઈ નંદુભાઈને પોતાને જ આવું કંઈક તારવવાનો સભાન ખ્યાલ જાગ્યો ને તેઓએ મૌનએકાંત મંદિરમાં પુરાઈ જઈને, તદ્દન એકાંતવાસ સેવીને, બધાં પુસ્તકોનો અભ્યાસ કરીને આ બધું તારવ્યું છે, જેને વાચક આગળ આજે રજૂ થવાની તક સાંપડી છે. તેનું નિમિત્તકારણ તો એવા જ એક સ્વજન ભાઈ ચીમનભાઈ મહાજન છે. તેમણે લેખકનું કંઈક છપાવવા, યોગ્ય લખાણ તૈયાર હોય તો છપાવવાનું, બહુ જ દિલ કર્યાં કરેલું, ને તેવું લખાણ તો તૈયાર જ હતું. આ થઈ એની પ્રકાશન-કથા.

 લેખકને જે જે કંઈક કહેવાનું હોય છે, જે જે તેના દિલમાં હોય છે, તે બધું જ કંઈ કહેવાઈ જતું હોતું નથી. તે તો જેને જેને કહેવાનું કે લખવાનું બન્યું હોય, તેની તેની ભૂમિકા પરત્વેના લક્ષાનુસંધાનથી પ્રેરાઈને લખેલું હોવાથી તે તે વિષયની સંપૂર્ણ હકીકત તેમાં આવી જતી નથી હોતી. તેમાંય વળી આ તો બધું તારવેલું છે, એટલે તે લખાયેલાના સારરૂપે તે છે, તેથી તેમાં અધૂરપ પણ હોવાની જ.

જીવનવિકાસનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ જ્યાં સુધી એકાગ્ર ને કેંદ્રિત, જીવતાંજાગતાં, એકધારાં પ્રગટેલાં હોતાં નથી, ત્યાં સુધી  શ્રેયાર્થીની ભૂમિકા Receptive and Responsive-સ્વીકારાત્મક, સંગ્રાહક અને તેને અનુલક્ષીને તેનો હેતુલક્ષી ભાવનાથી પ્રત્યુત્તરાત્મક સામો જવાબ પ્રેમથી, હૈયાના ઉમળકાથી વાળી શકે એવી ભૂમિકા બની ગયેલી, હોઈ શકેલી, ન હોવાથી, તેનું દિલ તે તે બધું પૂરું પચાવી શકે એવું નથી હોતું. તેનો આધાર તો તેનું દિલ જીવનવિકાસના ધ્યેય પરત્વે કેટલું ને કેવું ધગધગતા તલસાટયુક્ત ને સતત ઉન્મુખી પ્રગટેલું છે તેના પર હોય છે. એવા દિલનો દિલમાં દિલથી પ્રગટેલો એવો તલસાટ એ જ સાચી રીતે તો એના જીવનને ઘડનારો સાચો ગુરુ છે, ને ત્યારે જ નિમિત્તગુરુ એને પ્રભુકૃપાથી આકાર દેવામાં પ્રેરણાત્મક સૂક્ષ્મ મદદ પ્રેરાવી શકતો હોય છે. એવો દિલનો ઉત્કટ તલસાટ, પ્રચંડ ધગશ, ઉત્સાહ, ઉમંગ, ન્યોછાવરી, સાહસ, હિંમત, ધીરજ, ત્યાગ, સમર્પણ વગેરે જીવનમાં જ્યારે એક અંગભૂત વણાઈ જઈને તેના તેવા સ્વરૂપની કાયા ઘડાયેલી હોય છે, ત્યારે જ એવો શ્રેયાર્થી વારી વારી જઈને એમાં સર્વ ભાવે ને સર્વ રીતે પોતે ફનાગીરીનો આનંદ સેવી સેવી ફલંગો પર ફલંગો કૂદી કૂદી આગેકદમ ભરતો જતો હોય છે ને એવાના દિલની ને જીવનની એવી મસ્તીમાંથી જ જીવનનું પુનર્જીવન ને નવસર્જન થતું રહેતું હોય છે.

જીવનનાં અનેક પાસાંઓમાં, ક્ષેત્રોમાં ને જીવનના જુદા જુદા સંજોગોમાં, પરિસ્થિતિમાં, જુદાં જુદાં કર્મોમાં તેવો  जीव ભલે જુદો જુદો વર્તતો લાગે, પરંતુ તેનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ તો ધ્યેય પરત્વેના હેતુથી એકધારાં પ્રેરાઈને ધ્યેયના હેતુની સફળતા પરત્વેની એના દિલની સચોટ મીટ મંડાયેલી ત્યારે રહ્યાં કરતી હોય છે, ને એમાંથી જ તે પોતાના જીવનને તારવતો તારવતો આગળ ધપ્યો જતો હોય છે. જીવનમાં અનેક પ્રકારનાં ઘમસાણ ને પ્રલયો એને પ્રગટે છે, પરંતુ તેના દિલની મસ્તીનો પારો ત્યારે પણ નીચે કદી ઊતરી શકતો નથી. એવા એવા પ્રસંગોથી તો એના દિલની ખુમારી ત્યારે વધારે  પ્રકાશી કેવી મદમસ્ત ટટ્ટારી અનુભવે છે, એની કથા તો કોઈક એવો ન્યારો વિરલ વીર જ અનુભવી શકે છે.

જીવનવિકાસનો માર્ગ તો છે જીવનની મસ્તીનો, ખુમારીનો ને જીવનને હૈયાના ઉમળકાથી સ્વાર્પણ કર્યાં જવાનો છે. જીવનવિકાસની કથા એવાં સ્વાર્પણનાં એક પછી એક પગલાં ભરાયાં જવાયામાંથી નવા નવા ભાવે ને નવા નવા રૂપે કોઈક ભવ્ય, રમ્ય, દિવ્ય કળામાં પરિણમતી જતી જ્યારે પોતે અનુભવે છે, ત્યારે જીવનની ધન્યતા, કૃતાર્થતા અનુભવતો તે શ્રેયાર્થી એવી જ્ઞાનભક્તિયુક્ત દિલની કુરબાનીઓ ને આહુતિઓ આપતાં આપતાં એના દિલનો ભાવ દરિયાનાં ભરતીનાં મોજાંઓથી પણ અનેકગણો વધુ ઊછળતો તે પોતે અનુભવે છે ને જીવન એક પરમ આનંદનો લહાવો છે, એવી એને દિલમાં દિલથી સભાનતા પ્રગટે છે. એવાને ત્યારે દિલમાં મસ્તીની, જીવનઘડતરની એકધારી સતત ભાવના પ્રગટેલી રહ્યાં કરે છે. તેવી ભાવના વડે કરીને હાર ને નિરાશાના વમળમાં તે કદી પણ ગર્ત થઈ જઈ શકતો નથી, કારણ કે દિલમાં એવી પ્રગટેલી પ્રચંડ ઉત્સાહ, તલસાટવાળી ભાવના એનામાં એવી તો એક હૈયાસૂઝ પ્રગટાવે છે કે તે તેવી તેવી વેળા તટસ્થતા ને સમતાથી એનું આકલન કરી કરી, તેને તેને પાર કરી જતો હોય છે, ને ત્યારે તે તેના વહાલા પ્રભુની પરમ મંગળમયી કૃપાનો સહારો અનુભવે છે કે જેના આધારે તે પોતાના જીવનનું સુકાન ધ્યેયના હેતુને હૃદયમાં હૃદયથી અનુલક્ષીને પ્રભુકૃપાથી દોરવ્યાં કરતો હોય છે.

જે જે સ્વજનોને આ બધું સંબોધાઈને પ્રભુકૃપાથી જે લખાયેલું છે, તે તે તેમને જીવન પરત્વે સભાન ને સજાગ રખાવ્યાં કરો એ જ  પ્રાર્થના.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                                       –– મોટા

કુરુક્ષેત્ર, રાંદેર (વાયા સુરત)

તા. ૧-૬-૧૯૬૩

Categories
Book Gujarati books

જીવનપગલે (Jivan Pagle)

બે બોલ

જીવન પગલે’ મૂળ તા લખનારે પોતાના અનુભવની વાનગીરૂપે સ્વજનને, તેમની જીવન-સાધનામાં માર્ગદર્શક થઈ પડે એ હેતુથી છૂટક છૂટક લખી હતી. એ સ્વજનો પણ “વૃત્તિ સળવળેલી છે, જિજ્ઞાસા  ની જરા તરા”  એવા હોવા છતાં ઉમરમાં લેખકના કોઈ વડીલ તો કોઈ જીવનસાથી છે. આ કારણસર સ્વજનોને’ સંબોધન પહેલું મૂકવામાં આવ્યું છે, અને એવાં સંબોધન ક્યાંક ક્યાંક બીજે ઠેકાણે પણ આવે છે. આમ કેવળ આંતરતૃષા છિપાવવા અને વધારવા માટે જ આમાંનું સર્વ કંઈ સ્વજનોને લખાયેલું છે.

તેઓ જીવન-પંથે આગળ ધપવાની ઉત્કંઠાવાળા હેાવાથી તેમણે લેખક સાથે સબંધ સાંધ્યો અને તેમનો પાસેથી આમાં છપાયેલું સર્વ  કંઈ લખાણ મેળવ્યું. નિત્યના જીવન–વ્યવહારમાં જ રહીને જીવનને ઉન્નત કરવાની યેાગ્ય સૂચનાઓ આપનારું આ બધું લખાણ તેમને લાગ્યું; એટલે તે આમાંનુ કેટલુ તો જાતે લખાવીને આપ્તવર્ગમાં વહેંચતા હતા. પછી, આ બધું છપાય તે ધણાંને કામ લાગે એવી તેમને સ્ફુરણા થઇ. તેમની આ ભાવનાને પોષણ ને મૂર્તસ્વરૂપ આપનાર શ્રી. મનુ સૂબેદાર મળી ગયા; એ કારણસર તેમના અને શ્રી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના આભાર માનું છું.

હરિજન આશ્રમ, સાબરમતી                                                                                                                       હેમંતકૃમાર ગુણાભાઈ નીલકંઠ

તા. ૦૧-૧૦-‘૪૪

Categories
Book Gujarati books

જીવનપગદંડી (Jivan Pagdandi)

પ્રકાશકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’માં મારા વિશે લખ્યું છે અને આ પુસ્તકના પ્રકાશક તરીકે મારું નામ મૂક્યું છે, આથી, ‘બે બોલ’ રૂપે મારે પણ કંઈક લખવું એમ થતાં આ લખું છું.

હું મૅટ્રિક પાસ થયો તે સમયથી પૂજ્ય શ્રીમોટાની મને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અનેક પ્રકારની સહાય મળી છે. હું એમના નિકટ સંપર્કમાં રહું છું, એટલે મને કંઈ ને કંઈ કામ સોંપે અને તે હું કેવી રીતે કરું છું તે જોઈ, તપાસી મારા સ્વભાવનું ઘડતર કરે. આ એમની આગવી લાક્ષણિકતા છે અને મને તેની ખબર પણ છે. આથી, એઓ મને કોઈ પણ રીતે વઢે કરે એવી એમને તક ન મળે એવી ચોકસાઈ રાખવા પ્રયત્ન કરું પણ ખરો, પરંતુ તેવી સતત જાગૃતિ રાખી શકું નહિ. સોંપેલ કર્મમાં ક્યાંક ભૂલ કરું જ અને તેમને તક અપાઈ જાય. પછી તેઓશ્રી મને લડે કરે તો ખાસ ખરાબ લાગે નહિ, કારણ ક્યાં કેવી ભૂલ કરી છે, તેનું ભાન તો તે પછી તુરત જ થઈ જતું, પણ તેને તો સુધારવાની તક મળતી નહિ. પણ આવા અનુભવે બીજાં કાર્યોમાં વધુ ચોકસાઈ, વધુ જાગૃતિ રહેતી.

પ્રિય પૂજ્યના પ્રત્યક્ષ સંપર્ક અને સ્નેહ ઉપરાંત તેઓશ્રીના પરમ ચેતના સાથેના અદ્વૈતાનુભવને લીધે મને પરોક્ષ સ્પર્શ અને પારલૌકિક અનુભવો થયા છે. એની વિગતમાં ઊતરવું એ અત્રે પ્રસ્તુત નથી. તેમ છતાં, આવા અનુભવો થતા હોવા છતાં મારા અંતરમાં તેઓશ્રી કહે છે એવી ભક્તિ જાગી નથી. જાગતી નથી એનો એકરાર કરવા આટલો ઉલ્લેખ કરું છું. મને જ્યારે જ્યારે એવા ચમત્કારિક અનુભવો થયા છે ત્યારે ત્યારે જાણે કે એ બધું મેં જોયેલું  છે, અનુભવેલું છે, એવા સંસ્કારો મારા સચેતન માનસમાંથી પ્રગટ થાય- એવું મને લાગ્યા કરે કે આમાં કશું નવું નથી. ક્યાંક ક્યારેક અનુભવેલું છે. વળી, સત્પુરુષોની સોબતથી આવું તો અનુભવાય એમ બુદ્ધિ સ્વીકાર કરે, એથી આવા નક્કર અને જીવંત અનુભવોએ પણ મને પરમ ચેતના પરત્વેના અહોભાવમાં ડુબાડેલો નથી અને ભક્તિનો ઉદ્રેક અનુભવતો નથી. આ પ્રકારની સમજ પૂરતી મારી ભ્રમણા કે જડતા અથવા ઘોર તામસ પણ હોઈ શકે.

છતાં પણ ચિત્તના બંધારણમાં કર્મ પરત્વેની નિષ્ઠા અને પ્રમાણિકતાને લીધે ખંત, ઉદ્યમ અને ઉમળકો રહ્યા કરે. પહેલાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ સંપૂર્ણપણે સાંસારિક હતાં. છતાં એ મોળાં પડીને આધ્યાત્મિક માર્ગની આછી સમજ ચિત્તમાં અંકાઈ રહી છે, એનું કારણ પ્રિય પૂજ્યની સપ્રેમ કૃપા છે, એમ હું બુદ્ધિપુરઃસર સ્વીકારું છું. બુદ્ધિનો આવો સ્વીકાર હોવા છતાં ભાવ-ભક્તિનો ઉદ્રેક અનુભવાતો નથી એનો પણ હું સ્વીકાર કરું છું. પ્રિય પૂજ્યની અપાર કૃપાનો હું ભાજન બનેલો છું. મને પારલૌકિક શક્તિના અનેક પ્રકારના અનુભવો પણ થયા છે. અંતરમાં જન્મેલી આધ્યાત્મિક જીવન પરત્વેની સૂઝને લીધે હું એ માર્ગ ઉપર આગળ વધવાના પ્રયત્નો પણ કૃપામદદ માગી માગી કરું છું. છતાં હજી ભક્તિભાવમાં વેગ આવતો નથી એનો એકરાર પણ કરું છું.

જીવનપગદંડી’ પુસ્તકના પ્રકાશક તરીકે ‘બે બોલ’ દ્વારા મારા અંતરભાવની અભિવ્યક્તિને આ તક મળી છે ત્યારે મને એવી કશી પણ ભૂમિકા ન હતી, છતાં જે પ્રેમભાવ અને કૃપાને લીધે ચઢાણના માર્ગની સૂઝ પ્રગટી છે, એમાં પ્રેમભક્તિ ભાવભર્યો વેગ પ્રાપ્ત થાય એવી પ્રિય પૂજ્યને પ્રાર્થના કરી વિરમું છું.

રમાકાંત પ્ર. જોશી

Categories
Book Gujarati books

જીવનલહરી (Jivan Lahari)

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯