જીવનપોકાર (Jivan Pokar)

Dec 14, 2021

પછીથી વ્યર્થ પસ્તાશો

એક કાળ એવો પણ આવશે કે જે વેળા આવાં બધાં સ્વજનો પસ્તાશે કે, ‘મળેલા પુરુષને આપણે અવગણ્યો. એનો યોગ્ય સાથ ન રાખી શક્યાં. આપણે જે અર્થે એને સ્વીકારવાનું કરેલું, તે અર્થે યોગ્ય ઉપયોગ કરવાનું આપણને સૂઝ્યું જ નહિ ! હાય ! હાય ! કેવાં હતભાગી ! એને પૂરું આપણે સમજી પણ શક્યાં નહિ ! એ હતો તો પાસે ને પાસે પણ એને સાચો ને પૂરો જોયો પણ નહિ, તો અનુભવી તો ક્યાંથી જ શકાય ?’ આવું કંઈક કંઈક સ્વજનોને જરૂર થવાનું છે, તે નક્કી માનજો. તે વેળા જે પસ્તાવો થશે તેનાથી કશું જ વળવાનું નથી. જે કોઈ जीवताને માનતાં નથી કે માની શકેલાં નથી, તે તેના ગયા પછી તેને શું માની શકવાનાં છે ? રામ રામ કરો. માટે જેને માનવાનું આપણે કરેલું હોય, તેને તેની જીવતી હયાતી સુધીમાં યોગ્યપણે સમજી લેવાય, ને તે પણ તેના પૂરેપૂરા યથાર્થપણામાં સાચી રીતે સમજાય, પાછું જ સમજીને તેનો જીવનવિકાસના સાધન તરીકે જ્ઞાનભક્તિપૂર્વક જેટલો ઉપયોગ કરી લેવાય તેટલું ઉત્તમ છે.

 ‘જીવનપોકાર’, છઠ્ઠી આ, પૃ-૧૩૫

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All